તા. 04/05/2024 (શનિવાર) ના રોજ N.S.S. યુનિટ દ્રારા રાહદારીઓને વિના મુલ્યે “છાશ વિતરણ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજ પરિસરના ગેટ બહાર યોજવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. ફાલ્ગુની એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ N.S.S. યુનિટના સંયોજક ડો. તેજસ બી. શાહ દ્રારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજનાં N.S.S. યુનિટનાં વિધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો.